Posts

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન

Image
મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.  ગો.વા. મનુભાઈ ખેમચંદદાસ શાહ લાટીવાળા એ  દાતા તરીકે  મંડળની  બે કોલેજોને ઉદાર હાથે દાન આપ્યું છે.  તે ઉપરાંત તેમણે આ પ્રદેશની અનેક નાની મોટી સંસ્થાઓમાં દાન આપેલું છે. આ રીતે તેઓ મોડાસાના ભામાશા તરીકે પ્રખ્યાત છે. તેઓ તારીખ 28 8 2025 ના રોજ શ્રીજી શરણ થવાથી સમગ્ર મંડળ તથા કોલેજ પરિવાર ઊંડા આઘાત અને દુઃખની લાગણી અનુભવી રહ્યાં છે. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહની અધ્યક્ષતામાં કેમ્પસ સ્થિત ભામાશાહ હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મંડળના કારોબારીના સભ્યો, પ્રતિષ્ઠિત મહાનુભાવો, કેમ્પસના આચાર્યો, અધ્યાપકો, શૈક્ષણિક તથા વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંડળના ઉપ-પ્રમુખ સુભાષભાઈ શાહ, ટ્રસ્ટી નવીનભાઈ મોદી, ડૉ. સંતોષ દેવકર, ડૉ .બીપીનભાઈ પટેલ , ડોક્ટર મુકુંદભાઈ શાહ તથા બીપીનભાઇ ર.શાહના ઓ એ સદગતની સેવાઓને અને દાન પ્રણાલીને બિરદાવી હતી.માનદ મંત્રી ડો. આર સી મહેતાએ શોક ઠરાવન...

11/08/2025 ને સોમવારના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કલેકટરશ્રી પ્રશસ્તિ પારીખ સાહેબના અધ્યક્ષ સ્થાને સમગ્ર શિક્ષા અરવલ્લી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો સક્ષમશાળા એવોર્ડ 2025 યોજવામાં આવ્યો હતો.

Image
11/08/2025 ને સોમવારના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કલેકટરશ્રી પ્રશસ્તિ પારીખ સાહેબના અધ્યક્ષ સ્થાને સમગ્ર શિક્ષા અરવલ્લી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો સક્ષમશાળા એવોર્ડ 2025 યોજવામાં આવ્યો  હતો. બ્યુરો રિપોર્ટ હિમાંશુ વ્યાસ  જેમાં મોડાસા તાલુકાની શીણાવાડ પ્રાથમિક  શાળાએ ઓવર ઓવર કેટેગરીમાં સક્ષમશાળા તરીકે તાલુકા તેમજ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. પ્રથમ ક્રમ મેળવવા બદલ જિલ્લા કક્ષાએ 31000 રૂ. તેમજ તાલુકા કક્ષાએ 11000 રૂપિયાનો ચેક, મોમેન્ટ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.  સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓમાં ભૌતિક સુવિધા અને માળખાગત સુવિધાઓનો વિકાસ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા વગેરે જેવી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખી શાળાને બિરદાવવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી પરમાર કનુભાઈ રામાભાઇ તેમજ સ્ટાફગણ, એસ.એમ.સી. કમિટી વાલીગણ અને શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના સાથ અને સહકારથી આ એવોર્ડ મળ્યો છે.  આ તબક્કે સમગ્ર શીણાવાડ ગામ થકી અમો ગર્વની લાગણી વ્યક્ત કરીએ છીએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી નઈમ બેગ મિર્ઝા ને શ્રી રાહુલ ગાંધી અને એ.આઈ.સી.સી. દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

Image
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી નઈમ બેગ મિર્ઝા ને શ્રી રાહુલ ગાંધી અને  એ.આઈ.સી.સી. દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે  તે અંતર્ગત રાજ્યમાં દરેક જિલ્લા-તાલુકામાં મંડલ અને સેક્ટરના સંગઠનની કાર્યવાહી ચાલુ છે. આ અંગે એ.આઈ.સી.સી. નેશનલ વૉરરૂમમાં નિયુક્ત પદાધિકારીઓ સાથે સંકલનમાં 'નેશનલ વૉરરૂમ'માં મંડલ-સેક્ટરના સંગઠન અને સમીક્ષાની કામગીરીની જવાબદારી આપવા માં આવી. બ્યુરો રિપોર્ટ હિમાંશુ વ્યાસ 

સાબરકાંઠા ભારત સ્કાઉટ &ગાઈડ સંઘ ના ચીફ કમિશ્નર પરમ આદરણીય શ્રી અતુલભાઈ દીક્ષિત એ જન્મ દિવસ ની ઉજવણી મોતીપુરા પ્રાથમિક શાળા ના ભૂલકાઓ સાથે કરી.

Image
"સેવા પરમો ધર્મ " ના સુત્રને યથાર્થ કરનાર એવા ભાજપના પ્રદેશ પુર્વ સંગઠન મંત્રી,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે લાંબો સમય કાર્યકરનાર,    સાબરકાંઠા ભારત સ્કાઉટ &ગાઈડ સંઘ ના ચીફ કમિશ્નર પરમ આદરણીય  શ્રી અતુલભાઈ દીક્ષિત એ  જન્મ દિવસ ની ઉજવણી મોતીપુરા પ્રાથમિક શાળા ના ભૂલકાઓ સાથે કરી.  માનવ જીવન ઇશ્વરની અણમોલ ભેટ છે. ધરા અવતરણ દિવસ તેના જીવન માટે યાદગાર બની રહેતો હોય છે.  તેમના દ્વારા શાળાના  બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા. મોતીપુરા પ્રાથમિક શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી.  આ તબક્કે શાળાના આચાર્ય તથા જિલ્લા ટ્રેનિગ કમીશ્નર ગાઈડ વૈશલિબેન પટેલ અને સ્ટાફ ઘ્વારા શુભેચ્છા પાઠવી હતી. બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી યાગદાર બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ હિમાંશુ વ્યાસ 

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

Image
કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો.  ગુરુ અને શિષ્યની પવિત્ર પરંપરાને અનુરૂપ શાળાએ વિવિધ સાંસ્કૃતિક અને ભાવનાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું. કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીના ફોટા પર પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.ત્યાર બાદ નાના બાળકો દ્વારા શાળા ના તમામ ગુરુ ને કંકુ અને ચોખા નું તિલક લગાવી તેમનું પૂજન કર્યું હતું,ગુરુવંદના, શ્લોકો અને સંગીતમય નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા જેને જોઈને ઉપસ્થિત શાળાપરિવાર ના તમામ  ભાવવિભોર થઈ ગયા. વિદ્યાર્થીઓએ ગુરુના મહત્વ પર આધારિત કાવ્યાવલિ દ્વારા તેમના પ્રેમ અને આદરની ભાવના વ્યક્ત કરી. શાળાના પ્રમુખશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષક મંડ ળના સભ્યોએ પણ બાળકોને ગુરુના માર્ગદર્શનનું મહત્ત્વ સમજાવતા સંદેશાઓ આપ્યા. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઊર્જાસભર બની ગયું હતું. બાળકોમાં સંસ્કાર, આદર અને શિસ્તના સંવર્ધન માટે કલરવ શિશુ વિકાસ કેન્દ્ર સતત પ્રયત્નશીલ છે.

ભાણમેર ગામની સીમમાંથી સ્વીફ્ટ ગાડીમાથી વિદેશી દારૂની કુલ કિ.₹3,21,750/-નો એક આરોપી ને ઝડપી પાડ્યો

ભાણમેર ગામની સીમમાંથી સ્વીફ્ટ ગાડીમાથી વિદેશી દારૂની કુલ કિ.₹3,21,750/-નો બ્યુરો રિપોર્ટ : હિમાંશુ વ્યાસ  અરવલ્લી ગુજરાત   પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.₹5,74,750/-ના મુદ્દામાલ સાથે ૧ આરોપીને ઝડપી પાડતી ભીલોડા પોલીસ.